દિલ્લીમાં આવેલું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર વિશ્વનું સૌથી મોટું હિંદુ મંદિર પરિસર હોવાને કારણે, એને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ કરવામાં આવ્યું છે. આજે અમે તમને આ મંદિર વિષે થોડી ખાસ જાણકારી આપીશું. અને એ પણ જણાવીશું કે શા માટે આ મંદિરને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ મંદિરની સંરચના એ રીતે કરવામાં આવી છે કે આ મંદિર ઓછામાં ઓછા 1000 વર્ષ સુધી રહી શકે છે.
મિત્રો દિલ્લીમાં આવેલું આ અક્ષરધામ મંદિર દેશની બીજી ઈમારતોની જેમ પ્રાચીન નથી. પણ તે ૧૦,૦૦૦ વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના પ્રતીકને ખુબ જ વિશ્મયકારી, સુંદર, બુદ્ધીમત્તાપૂર્ણ અને સુખદ રીતે પ્રસ્તુત કરે છે. તે ભારતીય શિલ્પકળા, પરંપરાઓ અને પ્રાચીન આધ્યાત્મિક સંદેશોના તત્વોને શાનદાર રીતે દેખાડે છે. આ ભવ્ય અને અલૌકિક અક્ષરધામ એક જ્ઞાનવર્ધક યાત્રાનો એવો અનુભવ છે, કે જે માનવતાની પ્રગતિ, ખુશીઓ અને મિત્રતા માટે ભારતની ભવ્ય કળા, મુલ્યો અને યોગદાનનું વર્ણન કરે છે.
આ મંદિરની એક ખાસ વાત એ પણ છે કે, આ ઈમારતમાં ક્યાય પણ સિમેન્ટ અથવા સ્ટીલનો ઉપયોગ થયો નથી. તે હજારો વર્ષ જૂની વાસ્તુકળાથી બનાવવામાં આવ્યું છે. મિત્રો દિલ્લીમાં આવેલં આ અક્ષરધામ મંદિર દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર પરિષર હોવાને કારણે “ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ” માં સામેલ છે. અને 21 મી સદીની વિશ્વની 7 અજાયબીમાં પણ સ્થાન મેળવી ચુક્યું છે. તેમજ અમેરિકાની એક રીસર્ચમાં “મરતા પહેલા અવશ્ય જુઓ” (SeeBeforeYouDia. net) એ દુનિયાના ટોપ 25 સ્થાનોમાં અક્ષરધામને શામેલ કરવામાં આવ્યું છે.
દેશ અને દુનિયાના પ્રવાસીઓ જે દિલ્લી દર્શન માટે આવે છે તેમાંથી 70 ટકા પ્રવાસીઓ આ મંદિરની વાસ્તુ કળા અને ભવ્યતા જોવા અવશ્ય પહોચે છે. બીજી એક ખાસ વાત એ કે આપણા સ્વ. એ.પી.જે અબ્દુલ કલામ જયારે રાષ્ટ્રપતિ તરીકે દિલ્લીમાં હતા, ત્યારે રાષ્ટ્રપતિ ભવનના મહેમાનને અક્ષરધામ જોવાનો ખાસ આગ્રહ કરતા. આપણે પણ દિલ્લી જઈએ ત્યારે તેમનો આગ્રહ સમજીને પણ અક્ષરધામ દર્શન કરવા જવું જોઈએ.
મિત્રો દિલ્લીના સ્વામીનારાયણ અક્ષરધામ પરિસરનું નિર્માણ કાર્ય વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી, બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ)એ કર્યુ છે. 11,000 કારીગરો અને હજારો બીએપીએસ સ્વયંસેવકોના વિરાટ ધાર્મિક પ્રયત્નોથી માત્ર 5 વર્ષમાં આ મંદિરનું નિર્માણ થયું છે. અને એ પણ એક સિદ્ધિ જ છે.
આ મંદિરનું લોકાર્પણ 2005 માં, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર એ.પી.જે અબ્દુલ કલામ અને પ્રધાન મંત્રી મનમોહન સિંહની હાજરીમાં કર્યુ હતું. ભારતની પવિત્ર નદીઓ માંથી એક એવી યમુના નદીના કિનારે આવેલા આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનના ગુલાબી રેતીલા પત્થર અને ઇટાલીના સંગેમરમરનો ઉપયોગ કરાયો છે.
તેમજ મિત્રો આપણી રાજધાની દિલ્લીમાં આવેલું આ અક્ષરધામ મંદિર 86,342 વર્ગફૂટ જગ્યામાં ફેલાયેલું છે. આ મંદિર 356 ફૂટ લાંબુ, 316 ફૂટ પહોળું અને 141 ફૂટ ઊંચું છે. આ મંદિરમાં કુલ 9 ગુંબજ, 234 થાંભલા અને 20 હજારથી વધુ મૂર્તિઓ છે. આ મંદિરની આજબાજુ રાજસ્થાનના લાલ પથ્થર માંથી બનેલી 3000 ફૂટ લાંબી પરિક્રમા છે. જેમાં 1152 થાંભલા છે. અક્ષરધામ મંદિરમાં 10 દ્વાર છે અને તે 10 દિશાઓના પ્રતિક છે.
આ ભવ્ય મંદિરને બનવામાં 5 વર્ષનો સમય લાગ્યો હતો. આ મંદિર વાસ્તુ શાસ્ત્ર અને પંચ રાત્ર શાસ્ત્ર મુજબ દરેક બાબતોનું ઘણું ઝીણવટ પૂર્વક ધ્યાન રાખીને બનાવવામાં આવ્યું છે. વૈદિક સમયથી ભારતમાં પ્રચલિત જળ તીર્થોની મહિમા કુંડ પરંપરાનું અનુસરણ કરતા અક્ષરધામ મંદિરની ત્રણ બાજુએ નારાયણ સરોવરની રચના કરવામાં આવી છે.
પવિત્ર માન સરોવરથી લઈને 151 તીર્થો અને નદીઓ માંથી જળ સિંચન કરી આ નારાયણ સરોવર પવિત્ર તીર્થ બન્યું છે. આ નારાયણ સરોવરમાં દરેક તરફથી 108 ગૌ મુખ માંથી નીકળતા જળની ધારા ભગવાનના 108 નામોના પ્રતિક છે.
ગીનીસ બુકની ટીમ તરફથી માઈકલ વીટીએ કહ્યું હતું કે, અમને અક્ષરધામની વ્યાપક વાસ્તુ શિલ્પ યોજનાનો અભ્યાસ અને બીજા મંદિરની સાથે તેની સરખામણી અને નિરીક્ષણ કરવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો. અને એ પછી અમે એ ચુકાદા પર આવ્યા કે, આ મંદિર ગીનીસ બુકમાં સ્થાન મેળવવાનું પુરેપૂરું હકદાર છે. આ પહેલો અવસર છે જ્યારે ગીનીસ બુકે પોતાની વિશાળ ધાર્મિક સ્થળોની યાદીમાં કોઈ હિંદુ મંદિરને માન્યતા આપી છે.
મિત્રો આપણા મહાન ભારત દેશમાં વર્તમાન સમયમાં પ્રાચીન અને અવનવી આવી કેટલીય ઈમારતો અને વાસ્તુકળાની અનોખી અજાયબીઓ છે, જેણે દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવી છે. અને ભારતમાં આવેલ લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ, કેરળનું મંદિર, સૂર્ય મંદિર, તાજ મહેલ, અક્ષરધામ મંદિર વગેરેએ ભારતની સાંસ્કૃતિક વિરાસતને હર્યુ ભર્યુ કર્યુ છે. અને સાથે સાથે તેનાથી દેશમાં વાસ્તુકળા અને ભવન નિર્માણકળાને પણ નવી ઉંચાઈ સુધી પહોચાડી છે.
મિત્રો આપણી પ્રાચીન વાસ્તુકળાને પ્રદર્શિત કરતી આ ઈમારત દુનિયાની સૌથી અજીબ ઇમારતોમાં ગણાય છે. કારણ કે આ આખી ઈમારતમાં ક્યાંય પણ સિમેન્ટ કે સ્ટીલનો ઉપયોગ થયો નથી. આ ઇમારતના નિર્માણમાં માત્ર ગુલાબી બલુઆ પથ્થર અને સંગે મરમર વપરાયા છે. આ ઇમારત 3000 ટન પથ્થરોથી બનેલી છે. અને આ મંદિર આપણી હજારો વર્ષ જૂની વાસ્તુ કળાથી બનેલું છે.
મોટે ભાગે ઘણા લોકો જે અક્ષરધામ જોવા જાય છે, તેઓ સામાન્ય દર્શક મંદિર દર્શન કરીને બહારથી જ ફરીને આવી જાય છે. પણ આ મંદિરની અંદર નૌકા યાત્રા અને આઈમેક્સ ફિલ્મનો આનંદ લેવા માંગતા નથી, કારણ કે એમને ટીકીટનું મૂલ્ય ખોટો ખર્ચ લાગે છે. પણ એ નૌકા યાત્રા અને આઈમેક્સ ફિલ્મ ખરેખર જોવા લાયક છે. તે આપણી પ્રાચીન સંસ્કૃતિથી આપણને પરિચિત કરે છે.
અને એ વાત સ્વાભાવિક છે કે આટલી મોટી ઈમારતની રખરખાવટ માટે જો તમારે થોડા રૂપિયા ચુકવવા પડે તો કોઈ મોટી વાત પણ નથી. પણ આ બાબતમાં દિલ્લી સરકારનો સ્કુલના બાળકોને અક્ષરધામની યાત્રા કરાવવાનો નિર્ણય ખુબ જ સારો છે, જેનાથી બાળકો પોતાની સંસ્કૃતિથી અવગત થઇ શકે.
મિત્રો આ અક્ષરધામ મંદિર એ માત્ર મંદિર જ નથી, પરંતુ દેશની વિભિન્ન સંસ્કૃતિઓનો એવો સંગમ છે, જ્યાં ભારતની ૧૦ હાજર વર્ષ જૂની રહસ્યમય સાંસ્કૃતિક મૂડી રહેલી છે. આ વિશ્વનું પહેલું એવું હિંદુ મંદિર છે જેનો પ્રતાપ આટલા ઓછા સમયમાં વિશ્વમાં ફેલાયો છે.
હવે ત્યાં પહોંચવા અને અંદર પ્રવેશ વિશેની થોડી માહિતી જાણી લો.
પરિસરમાં પ્રવેશ : મફત (કોઈ ટીકીટ નથી)
મંદિર તથા બગીચો : મફત (કોઈ ટીકીટ નથી)
પ્રદર્શન જોવા માટે ફી રાખવામાં આવી છે.
અક્ષરધામ મંદિર:
દિલ્લીમાં આવેલું આ મંદિર ભગવાન સ્વામીનારાયણને સમર્પિત એક પારંપરિક મંદિર છે. જે ભારતની પ્રાચીન કળા, સંસ્કૃતિ અને શિલ્પકળાની સુંદરતા અને અધ્યાત્મીક્તાની ઝલક આપણને દેખાડે છે.
નીલકંઠવર્ણી અભિષેક:
આપણી એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક પરંપરા, જેમાં વૈશ્વિક શાંતિ અને વ્યક્તિ, પરિવાર અને મિત્રો માટે પ્રાથનાઓ કરાય છે. તેના માટે ભારતની 151 પવિત્ર નદીઓ, જળાશયો અને તળાવોના પાણીનો ઉપયોગ કરાય છે.
પ્રદર્શન :
હોલ ૧ – હોલ ઓફ વેલ્યુસ (60 મિનીટ)
અહિંસા, ઈમાનદારી અને આધ્યાત્મિકતાનો ઉલ્લેખ કરનારી ફિલ્મો તથા રોબોટિક શો ના માધ્યમથી ચિરસ્થાયી માનવ મુલ્યોનો અનુભવ.
હોલ ૨ – મોટા પડદા પર ફિલ્મ (45 મિનીટ)
નીલકંઠ નામના એક અગ્યાર વર્ષનાં યોગીનાં અવિશ્વસનીય યાત્રાનાં માધ્યમથી ભારતની જાણકારી અહીં મળશે. જેમાં ભારતીય રીતી રીવાજોને સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના માધ્યમથી જીવન-દર્શનમાં ઉતારયુ છે. કળા અને શિલ્પ કળાનું સોંદર્ય તથા અવિસ્મરણીય દ્રશ્યો, અવાજો તથા તેના પ્રેરક પર્વોની શક્તિનો અનુભવ કરો.
હોલ ૩ – કલ્ચરલ બોટ રાઈડ (15 મિનીટ)
અહીં તમને ભારતની ભવ્ય વિરાસતના 10,000 વર્ષોની મુસાફરી કરાવવામાં આવે છે. ભારતના ઋષિયો-વૈજ્ઞાનિકોની શોધો અને આવીસ્કારોની જાણકારી અહીં તમને મળશે. અહીં જુઓ વિશ્વનું પ્રથમ વિશ્વ વિદ્યાલય તક્ષશિલા, અજંતા-ઈલોરાની ગુફાઓ માંથી થઈને જાઓ અને પ્રાચીન કાળથી જ માનવતા તરફ ભારતના યોગદાનની જાણકારી લો.
ગાર્ડન ઓફ ઇન્ડિયા :
60 એકરના હર્યા ભર્યા ઘાસ, બાગ અને કાસ્યની શ્રેષ્ઠ પ્રતિમા અહીં છે. ભારતના તે બાલવીરો, વીર યોદ્ધાઓ, રાષ્ટ્રીય દેશ ભક્તો અને મહાન મહિલા વિભૂતિઓનું સન્માન કરાયું છે, જે મુલ્યો અને ચરિત્રના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે.
લોટસ ગાર્ડન :
અહીં બનાવેલો કમળના આકારનો એક બગીચો તે આધ્યાત્મિકતાનો આભાસ કરાવે છે, જે દર્શન શાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને લીડરો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.
સંગીતના ફુવારા (મ્યુઝીકલ ફાઉન્ટેન): સહજ આનંદ આપતો વોટર શો. (સૂર્યોદય પછી સાંજે 24 મિનીટ) દુનિયાના શ્રેષ્ઠ વોટર શોમાંથી એક છે આ અદ્ભુત વોટર શો. જે તમને એક નવી અનુભૂતિ કરાવશે.
ક્યાં આવેલું છે :
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 24, અક્ષરધામ સેતુ નવી દિલ્લી. ફોન : +91-11-4344 2344
નજીકનું મેટ્રો સ્ટેશન : અક્ષરધામ મેટ્રો
નજીકનું એયરપોર્ટ : ઇન્દિરા ગાંધી ઈંટરનેશનલ એયરપોર્ટ (21 km)
નજીકના રેલવે સ્ટેશન :
હઝરત નિઝામુદ્દીન (NZM – 6 Km)
નવી દિલ્લી (NDLS – 11 Km)
જૂની દિલ્લી (DLI – 10 Km)
સમય :
પ્રથમ પ્રવેશ : 9:30 am
છેલ્લો પ્રવેશ : 6:30 pm
રજા : દર સોમવારે સમગ્ર જગ્યા જાળવણી માટે બંધ રહે છે.
પ્રવેશ : મંદિરમાં પ્રવેશ મફત છે. કોઈ ટિકિટ નથી.
પ્રદર્શન ટિકિટ્સ : 10 થી સાંજે 6 વાગ્યા સુધી
પ્રવેશ : મફત. કોઈ ટિકિટ નથી.
પ્રદર્શનની ફી.
ટિકિટ પુખ્ત : 100 Rs.
વરિષ્ઠ નાગરિક : 70 Rs.
બાળ (4-11 વર્ષ) : 50 Rs.
બાળક (4 વર્ષ કરતાં ઓછી) : ફ્રી
મ્યુઝિકલ ફાઉન્ટેન: ટિકિટ ચાર્જ.
પુખ્ત : 80 Rs.
વરિષ્ઠ નાગરિક : 80 Rs.
બાળ (4-11 વર્ષ) : 50 Rs.
બાળક (4 વર્ષ કરતાં ઓછી) : ફ્રી
રજાઓ : સોમવાર.
ફોટોગ્રાફી : મંજૂરી નથી
મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોની પણ મંજૂરી નથી. (બહાર મુકવા માટે સામાનઘર ઉપલબ્ધ છે.)
જગ્યામાં પ્રવેશ – નિઃશુલ્ક કોઈ ટિકિટ નથી
પાર્કિંગ : વાહનોના પ્રકાર મુજબ દરો અલગ અલગ છે.
ઇક્વિટીબલ હાઉસની રકમ : માલિકના જોખમ પર ડિપોઝિટ (ફ્રી)
ફોટો મથક: ફોટોગ્રાફ સ્મૃતિચિહ્ન (ફી માટે)
વ્હીલચેર્સ: રિફંડપાત્ર ડિપોઝિટ – રૂ. 100
ફૂડ કોર્ટ: ફૂડ, નાસ્તો અને પીણાં (100% વેજ અને સાત્વિક)
બુક એન્ડ ગિફ્ટ સેંટર : પબ્લિશિંગ, મિમેન્ટમ અને ભેટ વસ્તુઓ.
ડ્રેસ કોડ:
ઇચ્છનીય – ધાર્મિક સ્થળ છે એટલે ખભા, છાતી, નાભિ અને ઉપરના ભાગોને આવરી લેવું આવશ્યક છે. અને ઘૂંટણ સુધીનું શરીર ઢંકાયેલું જરૂરી છે. જો એવા કપડાં નથી પહેર્યા તો શરીર ઢંકાય એવા વસ્ત્ર મળશે. જેની 100 રૂપિયા ડિપોઝીટ છે જે રિફંડેબલ છે.
સલામતી અને સલામતી : સસ્તું ઇક્વિટીબલ હોમ્સ ઉપલબ્ધ છે (પાર્કિંગની જગ્યામાં)
નીચેની વસ્તુયો લઇ જવાની મંજુરી નથી :
બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ (મોબાઇલ, કેમેરા, પૅન ડ્રાઇવ, હેન્ડ-ફ્રી, વગેરે.)
તમામ પ્રકારની બેગ, પર્સ (ખભા / અટકી), ખોરાક અને પીણાના પદાર્થ, રમકડાં, તમાકુ અને નાર્કોટિક્સ, બધી વ્યક્તિગત આઇટમ્સ.
નીચેની વસ્તુયો લઇ જવાની છૂટ છે :
શૂઝ, બેલ્ટ, પાકીટ (વોલેટ), લેડીના બટવો, જ્વેલરી, પાસપોર્ટ, નાના બાળકો માટે ફુડ્સ.
આના પર કડક પ્રતિબંધ છે :
ધુમ્રપાન, આલોકોહોલ અને ડ્રગસ, તમાકુ પ્રોડક્ટ્સ, પાળતુ પ્રાણી.
મિત્રો ધાર્મિક સ્થળ છે અને દેશ વિદેશથી ઘણા લોકો આવે છે, તો અપમાન જનક વર્તન અને ભાષા બોલવી નહિ એવી આપણી સમજણ હોવી જોઈએ.
ડિસક્લેમર:
દાખલ કરવાના અધિકાર અને પૂર્વ નોટિસ વિના કાર્યક્રમમાં કોઈપણ ફેરફારને બદલવાનો અધિકાર. કૃપા કરીને સુરક્ષા સ્ટાફ સાથે સહકાર આપો.
વધુ માહિતી માટે, akshardham. com પર જુઓ.